Wednesday, March 16, 2016

ડાંગની અસ્મિતા : ડાંગ દરબાર મેળો


ડાંગની અસ્મિતા : ડાંગ દરબાર મેળો


18મી માર્ચ 2016થી ડાંગ દરબારનું આયોજન થનાર છે.અત્યારસુધી ફક્ત 3 દિવસનો દરબાર થતો હતો પરંતુ આ વર્ષે 3 દિવસની જગ્યાએ 5 દિવસ સુધી ડાંગ દરબાર મેળાનું આયોજન પ્રશાસન દ્વારા નક્કી કરાયું છે.ડાંગી રાજવીઓ અને ડાંગી પ્રજાની લાગણીને માન આપી હવે પાંચ દિવસ સુધી મેળો ચાલશે.જેનું ઉદઘાટન રાજ્યપાલ કરશે.

સહ્યાદ્રિ ગિરિકંદરામાં વસતા વનવાસીઓનો મુખ્ય તહેવાર એ હોળી છે અને હોળી સાથે વિશષ્ટિ નાતો ધરાવતો પર્વ મેળો ડાંગ દરબાર. દરબાર શબ્દ સાંભળતા જ એવી પ્રતિતિ થાય કે દરબાર એટલે રાજાઓ દ્વારા ભરાતો દરબાર હશે પણ ના એવું નથી. 

ડાંગ દરબાર પાંચ દિવસીય વાર્ષિક સાંસ્‍કૃતિક તહેવાર હોળીની સાથે ઉજવવામાં આવે છે. આ મેળો ડાંગ જિલ્‍લામાં આયોજીત કરવામાં આવે છે. તે ભારતના સાપુતારા પહાડોમાં આવેલ છે. ડાંગ જનજાતિ, જંગલી ક્ષેત્રો, સાપુતારા, ડાંગ દરબારના સ્‍થાનિક લોકોનો આ એક વિશિષ્‍ટ તહેવાર હોળી પહેલા ઉજવવામાં આવે છે. આ તહેવારનું ચોક્કસ સ્‍થળ સાપુતારા પાસે આહવા છે. પરંતુ તહેવાર આહવા દરબાર, જે એક વખતના શાસન દરમિયાન અંગ્રેજી મંત્રીઓ અને અધિકારીશ્રીની વિધાનસભા હતી તેને લીધે તેનું નામ જમાબંદી દરબાર અને જિલ્‍લા કલેકટર દ્વારા બદલવામાં આવેલ હતું

આ વખતે ડાંગ દરબાર 3 દિવસના બદલે 5 દિવસ યોજાશે


 -રાજા-નાયકો અને ભાઉબંધોના મૂળ હકોના બદલામાં વંશ પરંપરાગત પોલિટિકલ પેન્શન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતુ
ડાંગ દરબારના દિવસે પ્રત્યેક ડાંગી રાજવીઓને સરકાર દ્વારા સાલિયાણા(પોલિટિકલ પેન્શન)દરબાર ભરીને આપવામાં આવે છે અને તે દિવસથી ભાતીગળ લોકમેળો ભરાય છે.જેમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસી લોકનૃત્યો યોજાય છે.ડાંગના પાંચ રાજવીઓને પૂરા આન,બાન, શાન સાથે બગીમાં બેસાડી મુખ્ય માર્ગ પરથી સવારી કાઢી સામિયાણામાં લાવી પ્રજા સમક્ષ તેમને રાજ્યપાલના હસ્તે સાલિયાણા આપવાનો કાર્યક્રમ યોજાય છે.

ઐતિહાસિક પૃષ્ઠો ઉથલાવતા જાણવા મળે છે કે બળવાખોરોની ભૂમિ તરીકે ઓળખાતા ડાંગમાં યાદવોથી લઈ પેશ્વાઈ કાળ દરમિયાન અનેક રાજસત્તાઓ આવી ગઈ તેમ છતાં બ્રિટીશ રાજ આવ્યું ત્યાં સુધી સાચુ સ્વાતંત્ર તો ડાંગના રાજા અને નાયકો જ ભોગવતા હતા.તે વખતે ગાઢવી,આમલાદર્ભાવતી(આજનું લિંગા ગામ),શિવબારી,ચિંચલી,ગડદ,વાડીયાવન,પીપલાઈદેવી,ઝરી,પાળતવિહિર,બીલબારી,ગારખડી વગેરે મળીને ડાંગ બન્યું હતું.આના રાજાઓ અને નાયકો મળીને તેર ભીલ અને કુકણા હતા.ગાઢવીના રાજાને વરિષ્ઠતા આપવામાં આવી હતી.

બ્રિટીશ શાસકો આવ્યા ત્યારથી ડાંગના અતિકિંમતી ઈમારતી જંગલો પર આકર્ષાયા હતા.ઈ.સ.1842માં 43મા ડાંગી રાજા પાસેથી ડાંગનું જંગલ પટ્ટા પર લેવાનું નક્કી થયું.1933માં ભારત સરકારના હાથમાં સત્તા આવી અને 1 એપ્રિલ 1937થી પટ્ટા પદ્ધતિ બંધ કરવામાં આવી હતી.ડાંગના જંગલ ઉત્પન્નમાંથી જે ફાયદો થાય તે ડાંગની ઉત્પત્તિ માટે વાપરવાનું નક્કી થયું.આ પટ્ટા અન્વયે જંગલના અધિકારપત્રો પણ ભીલ રાજા,નાયકોએ બ્રિટીશોને સુપરત કર્યા.

ઈ.સ.1876-77માં રાણી વિકટોરીયાનો ભારતના મહારાણી તરીકે રાજ્યાભિષેક થયો તે પ્રસંગે ધુલીયા(મહારાષ્ટ્ર)માં દરબાર યોજવામાં આવ્યો.તે પછી પિંપળનેર,પિપલાઈદેવી અને શિરવાડામાં પણ દરબાર યોજવામાં આવ્યો હતો.ઈ.સ.1900ના મે માસમાં વઘઈ ખાતે દરબાર યોજાયો હતો.ચાર વર્ષ સુધી ત્યાં જ દરબાર યોજાયો હતો.1904થી દરબા આહવા ખાતે ભરવાનું નક્કી થયું.1947થી મુંબઈ સરકારે રાજા-નાયકો અને ભાઉબંધોને પેશગી આપવાની પ્રથામાં ફેરફાર કરી તેમના મૂળ હકોના બદલામાં વંશ પરંપરાગત પોલિટિકલ પેન્શન આપવાનું નક્કી કરાયું.


આ પાંચ રાજાઓને પેન્શન અપાશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાંગના પાંચ રાજવીઓ કરણસિંહ યશવંતરાય(ગાઢવી),તપનરાવ આનંદરાવ પવાર(દહેર),ત્ર્યંબકરાવ સાંડેલરાવ(પિંપરી),ભવંરસિંહ હસુસિંહ સૂર્યવંશી(લિંગા),ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશી(વાસુર્ણા),9 નાયકો અને ભાઉબંધોને પેન્શન આપી ડાંગ દરબારને ખુલ્લો મુકાશે.


 રાજાઓના રાજ જતા રહ્યા પણ હજી ડાંગ જિલ્લાના રાજાઓના રાજ છે



ડાંગી વનવાસીઓ માટે ખરીદી કરવા અને વર્ષ દરમિયાન જોઈતી ચીજવસ્તુઓ અને સામી હોળીએ કરવામાં આવતી ખરીદીઓ એટલે દરબાર. રાજાઓના રાજ જતા રહ્યા પણ હજી ડાંગ જિલ્લાના રાજાઓના રાજ છે જ ભલે એક દિવસના હોય. આ પરંપરા ફક્ત ડાંગમાં જ જળવાઈ રહી છે અને આ એક દિવસ માટે ખૂબ જ આદર અને માન-સન્માન સાથે રાજ્યપાલના હસ્તે પોલિટિકલ પેન્શન, પાનબીડુ, તલવાર વગેરે ભેટ આપી સન્માનિત કરવામાં આવે છે.

ઈ.સ. ૧૮૪૨ સુધી ડાંગી ભીલ રાજા અને નાયકો રાજ કરતા હતા અને ત્યારપછી ડાંગના જંગલના પટ્ટાઓ અંગ્રેજોને આપવામાં આવ્યા. આ પટ્ટા અન્વયે જંગલના અધિકારીપત્રો પણ ભીલ રાજા-નાયકોએ અંગ્રેજોને સુપરત કર્યા. આ પટ્ટાની સામે રાજાઓને આબકારી હક્કો તેમજ હળપતિના રૂપમાં જમીન મહેસૂલ, ઢોર માટે ચારા તથા બીજા પેશવાઈ ભથ્થાની વાર્ષિ‌ક રકમ દર વર્ષે રાજા, નાયકો અને ભાઉબંધુઓ તથા ડાંગી લોકોના દરબાર ભરીને બ્રિટીશ હકુમત તરફથી રાજાઓને આપવામાં આવતી. તે સમયે પણ રાજાઓ, નાયકો રંગબેરંગી પોશાકો પહેરીને આવતા.


ઈ.સ. ૧૯૦૦ના મે માસમાં ડાંગ દરબાર વઘઈ ખાતે યોજવામાં આવ્યો હતો. દરબારમાં રાજાઓને જંગલ સબસિડી અને શિરપાવ આપવામાં આવતા નાયકો અને પોલીસ પટેલોને આગ નિવારણ તથા અન્ય બીજા કામો માટે ભેટ આપવામાં આવતી. ૧૯૧૦માં પિંપરીના નાયકને જંગલખાતાની ઉપયોગી સેવા બદલ એક બંદુક ભેટમાં આપી તેમજ ચાંદીના કડા, સોનાની વીટી અને ઈ.સ. ૧૯૧૩ના દરબાર ખાતે ગાઢવી, પિંપરી, દહેર, ચિંચલી, કિરલી તથા વાસુર્ણાના રાજાના કુટુંબના એક-એક વયોવૃદ્ધને દિલ્હી દરબાર તરફથી ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા.

ઈ.સ. ૧૯૪૮માં ડાંગનું વિલિનીકરણ થયું છતાં ડાંગ દરબાર પ્રતિવર્ષ નિયમિત ભરાતો રહ્યો છે. ૧૯પ૪થી મુંબઈ સરકારે રાજા-નાયકો અને ભાઉબંધોને પેશગી આપવાની પ્રથામાં ફેરફાર કરી તેમના મૂળ હક્કોના બદલામાં પેન્શન આપવાનું નક્કી કર્યું. ડાંગમાં ડાંગી ભીલ રાજાઓના પરિવારોમાંથી ડાંગના પાંચ રાજાઓમાં ગાઢવી, લિંગા, વાસુર્ણા, દહેર અને પિંપરી તેમજ નવ નાયકો અને ભાઉબંધોને પોલિટિકલ પેન્શન આપવામાં આવે છે.

ડાંગ દરબાર પાંચ દિવસીય વાર્ષિક સાંસ્‍કૃતિક તહેવાર હોળીની સાથે ઉજવવામાં આવે છે. આ મેળો ડાંગ જિલ્‍લામાં આયોજીત કરવામાં આવે છે. તે ભારતના સાપુતારા પહાડોમાં આવેલ છે. ડાંગ જનજાતિ, જંગલી ક્ષેત્રો, સાપુતારા, ડાંગ દરબારના સ્‍થાનિક લોકોનો આ એક વિશિષ્‍ટ તહેવાર હોળી પહેલા ઉજવવામાં આવે છે. આ તહેવારનું ચોક્કસ સ્‍થળ સાપુતારા પાસે આહવા છે. પરંતુ તહેવાર આહવા દરબાર, જે એક વખતના શાસન દરમિયાન અંગ્રેજી મંત્રીઓ અને અધિકારીશ્રીની વિધાનસભા હતી તેને લીધે તેનું નામ જમાબંદી દરબાર અને જિલ્‍લા કલેકટર દ્વારા બદલવામાં આવેલ છે.
         ભારત દેશ 1947માં આઝાદ થયા બાદ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશમાં આવેલ બધાજ રાજા રજવાડાના રાજયો નું વીલીનીકરણ કર્યુ અને ત્યાર બાદ રાજા રજવાડાઓને અપાતું સાલીયાણું આપવાનું પણ બંધ કરવામાં આવ્યું પરંતુ બંધારણની વિશિષ્ટ જોગવાઇના કારણે સમગ્ર ભારત દેશમાં એકમાત્ર ગુજરાત રાજયમાં આવેલ ડાંગ જિલ્લાના રાજવીઓને સાલીયાણું આપવામાં આવે છે. ડાંગ જિલ્લાના રાજાઓને અપાતા સાલીયાણાનો અનેરો અને આગવો ઇતિહાસ છે. ડાંગી આદિવાસીઓના મોટાભાગના તહેવારો નિસર્ગ સાથે સંકળાયેલા છે.

 - ભારતમાં માત્ર ડાંગના રાજાઓને સાલિયાણું આપવામાં આવે છે

માનવ જીવનમાં આનંદ પ્રમોદ માટે તહેવારો અને તહેવાર પ્રસંગે ભરાતા મેળાનો અનેરુ મહત્વ છે. તેમા હોળીના તહેવાર એમના રંગોનો તહેવાર છે. આ તહેવારો પૈકી હોળીના તહેવાર તેમજ હોળી દરમ્યાન ભરાતો ડાંગ દરબારનો લોક મેળો અતી ઉત્સાહ થી ડાંગના આદિવાસીઓ ઉજવણી કરે છે. અને હોળીના આગળના અઠવાડિયામાં યોજાનાર ડાંગ દરબાર મેળાની ડાંગી લોકો આતુરતા પૂર્વક રાહ જૂએ છે.


આદિવાસી રહેવાસીનો એક મોટો સમૂહ આ ઉત્‍સવ ઉજવે છે. આ તહેવાર દરમિયાન ડાંગના સૌથી રંગીન અને આકર્ષક ઉત્‍સવોમાં ભાગ લેવા, નજરોથી ચમકદાર અને ગૂગમાં બદલીને શાંત અને શૂષ્‍ક પુરૂષો અને રણ દરબાર દરમિયાનની સાથે હરકતોમાં દેખાડવામાં આવે છે. દંગોમાં સજેલી સ્‍ત્રીઓ ઓક કસરત, ખાતાબદોલ જનજાતિઓ એક શહેનાઇ (લાકડાનું હવાયંત્ર) અને બીજા તેમની સાથે વાદ્યયંત્રો વગાડે છે.


બધા લોકો સિંહ ક્ષેત્ર કે જે એક વેસ્‍ટકોટ અને રંગીન પાઘડી પહેરીને એક બીજાને શુભેચ્‍છા પાઠવે છે. સ્‍ત્રીઓ સાડી અને બ્‍લાઉઝમાં ભારી ચાંદીના ઘરેણા પહેરીને આવે છે. કાર્નિવલ મેદાનની જમીન પર વેપારીક ગતિવિધી જે પોતાની વસ્‍તુઓ વહેંચવા માટે આવેલ હોય છે. ડાંગ દરબાર એક ત્રણ દિવસીય તહેવાર છે તે દરમિયાન લોકનૃત્‍ય, રાસ, ગરબાના કાર્યક્રમો, ગીત અને નાટકના કર્તબો કરવામાં આવે છે અહીં પણ દુલ્‍હન અને દુલ્‍હાની શોધ માટેનો મંચ આવેલ છે.


No comments:

Post a Comment